“મેરી માટી મેરા દેશ” : શહીદોના સન્માનમાં અભિયાન શરુ કરાશે

મેરી માટી મેરા દેશ : આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા જ શહીદોના સન્માનમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. અભિયાન અતર્ગત દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે.

મેરી માટી મેરા દેશ
આજે આકાશવાણી ઉપરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આ અભિયાન અંર્તગત આ મુજબ કહ્યું હતું કે આ વર્ષે સ્વતંત્રતા દિવસ પહેલા જ શહીદોના સન્માનમાં મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીશ્રીએ દરેક વ્યક્તિને તેમના હાથમાં માટી સાથે શપથ લેતી સેલ્ફી yuvaa.gov.in પર અપલોડ કરવા અપીલ કરી હતી તેમણે કહ્યું કે, ગયા વર્ષે સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ પ્રયાસોથી લોકો તેમની ફરજો, આઝાદીનું મૂલ્ય અને દેશની આઝાદી માટે આપેલા અસંખ્ય બલિદાનોને યાદ કરી શકે તે માટે આ વર્ષે પણ દરેક ઘરમાં તિરંગો ફરકાવવો જોઈએ.

આપણા શહીદોને યાદ કરવાની સાથે સાથે તેમના સન્માન માટે ટૂક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મદી દ્વારા મેરી માટી મેરા દેશ અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં શહીદોની યાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનની વાતમાં જણાવ્યુ હતું કે, શહીદ પુરુષો અને સ્ત્રીઓના સન્માન માટે સ્વતંત્રતા દિવસ પહેલા ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

ઓલ ઈન્ડિયા રેડિયો પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતુ કે, અમૃત મહોત્સવની ઉજવણી વચ્ચે શહીદોની યાદમાં દેશભરમાં ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. આગળ પ્રધાનમંત્રી જણાવ્યું હતું કે, મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ દેશભરમાં ‘અમૃત કલશ યાત્રા‘નું આયોજન કરવામાં આવશે. આ ‘અમૃત કલશ યાત્રા’ દેશના ખૂણેખૂણેથી 7500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની પહોંચશે. આ યાત્રા દરમિયાન દેશના વિવિધ ભાગોમાંથી છોડ પણ લાવવામાં આવશે.

મેરી માટી મેરા દેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ‘અમૃત વાટિકા’ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક બનાવવામાં આવશે અને 7500 ભઠ્ઠીમાં માટી અને રોપાઓનું મિશ્રણ કરીને બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ ‘અમૃત વાટિકા’ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું ભવ્ય પ્રતીક બનશે. તેમણે ઉમેર્યું હતું કે ‘મેરી માટી મેરા દેશ’ ઝુંબેશમાં ભાગ લઈને, રાષ્ટ્ર પણ અમૃત કાલના આગામી 25 વર્ષ સુધી ‘પાંચ સંકલ્પો’ અથવા ‘પંચ પ્રાણ’ને પૂર્ણ કરવા માટે શપથ લેશે.

પંચપ્રાણ પ્રતિજ્ઞા + સેલ્ફી‌
આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સ્તરે ગ્રામજનો દ્વારા હાથમાં મુઠ્ઠીભર માટી અથવા માટીનો દિવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવશે.

‘વસુધા વંદન’
આ કાર્યક્રમ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત દીઠ ૭૫ રોપાઓ વાવીને ઉછેર કરવામાં આવશે.

વીરોને વંદન
વીરોને વંદન કાર્યક્રમ હેઠળ સ્થાનિક પરંપરાઓ અને રિવાજો મુજબ “વીરો” કે જેમાં સ્વતંત્ર સેનાનીઓ/સંરક્ષણ કર્મચારીઓ/રાજ્ય અને કેન્દ્રના પોલીસ દળોના કર્મચારીઓ કે જેઓએ દેશ માટે બલિદાન/યોગદાન આપેલ હોય તેમના પરિવારો માટે સન્માન સમારોહ યોજવામાં આવશે. ગ્રામીણ કક્ષાએ કાર્યક્રમના દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવા સાથે રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ગ્રામ પંચાયતથી તાલુકા અને રાજધાની દિલ્હી સુધીની મિટ્ટી યાત્રાઓમાં ગ્રામજનો દ્વારા માટી એક્ત્રીકરણ, તાલુકા કક્ષાએ તમામ ગ્રામ પંચાયતોની માટીના કળશમાં એકત્રીકરણ કરીને યુવાનો દ્વારા દિલ્હી ખાતે નિયત કરેલ સ્થળે કળશ લઈ જવામાં આવશે. જ્યાં કર્તવ્ય પથ, નવી દિલ્હી દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંતિમ કાર્યક્રમ તા.૩૦ ઓગસ્ટના રોજ યોજાનાર છે.

જણાવી દઈએ કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાઈ રહેલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’એ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઉજવણી છે. આઝાદી કા અમૃત મહોત્સવનો વિધિવત રીતે તા.૧૨ માર્ચ,૨૦૨૧ના રોજ પ્રારંભ થયો હતો જે આગામી તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થનાર છે.

Leave a Comment