Coir Udyami Yojana in Gujarati: કાથી બનાવતા કારીગરોને રૂપિયા 10 લાખ સુધી મળશે સબસીડી સહાય.

Coir Udyami Yojana in Gujarati: કાથી બનાવતા કારીગરોને રૂપિયા 10 લાખ સુધી મળશે સબસીડી સહાય. ભારત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બનાવવામાં આવે છે. જેને લોંચ કરીને નાગરિકોના હિતમાં અમલી પણ બનાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર દ્વારા ખાદી કારીગરો માટે વીમા યોજના કાર્યરત કરી છે. ખેડૂતો માટે પીએમ કિસાન યોજના ચાલુ કરેલ છે. પરંતુ આવી જ એક યોજના વિશે આપણે વાત કરીશું. જેનું નામ છે, Coir Udyami Yojana in Gujarati. આ યોજના હેઠળ કોણે લાભ મળે તેની માહિતી મેળવીશું.

Coir Udyami Yojana in Gujarati

મિત્રો આ એક નારિયેળનાં કુચામાંથી બનતા ઉત્પાદનો માટેની યોજના છે. કાથીની પ્રોડ્ક્ટ બનાવતા કારીગરોને પ્રોત્સાહન કરવા માટે આ યોજના ચાલુ કરેલ છે.  આ Coir Udyami Yojana 2023 થકી અરજદારને સબસિડી મળશે. આ કાથી ઉદ્યમી યોજના માટે અરજદારે કેવી રીતે અરજી કરવી?, અરજી કરવા માટે કોણ પાત્ર છે. અરજદારને આ યોજનાથી શું લાભ થશે. અરજદાર આ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકે. આ પ્રકારની તમામ જાણકારી આપણે આગળ આજ પોસ્ટમાં જાણીશું.

કાથી બનાવતા કારીગરો માટેની યોજના

આ નારિયેળમાંથી નીકળતું એક પ્રકારનું કુદરતી ફાઇબર છે. આ ફાઈબરનો ઉપયોગ કાલીન, બ્રશ અને ગાદલા બનાવવામાં થાય છે. કાથી બનાવતા કારીગરો મોટાભાગે નારિયેળ જે વિસ્તારમાં વધારે હોય ત્યાં કરવામાં આવે છે. આ કાથી ઉત્પાદનનો વ્યવસાય કરવાં માટે ભારત સરકારે Coir Udyami Yojana ની શરુઆત કરેલ છે. જેના વિશે વધુ માહિતી આપણે આજ આર્ટિકલમાં જાણીશું.

Highlight Point of Coir Udyami Yojana

યોજનાનું નામCoir Udyami Yojana
યોજનાની શરૂઆત કોણે કરીભારત સરકાર
યોજનાનો હેતુકાથીનો વ્યવસાય અને વ્યાપાર માટે સબસિડી ની સહાય આપવી
લાભાર્થીકારીગરો
અધિકૃત વેબસાઈટhttps://www.myscheme.gov.in/schemes/cuy

યોજનાનો ઉદેશ્ય

 આ યોજનાનો એ જ ઉદ્દેશ્ય છે કે, જે વિસ્તારોમાં કાથી ઉદ્યોગ કરવામાં આવે છે. તેમનાં વ્યાપાર આધુનિક અને વધુ ઉત્પાદન વાળુ બનાવવું. આ માટે સરકાર કયર ઉદ્યમીઓને સબસિડી ની સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ કયર ઉદ્યમી યોજનાથી દરિયા કિનારા અને નારિયેળવાળા વિસ્તારમાં રોજગારનાં નવાં અવસર પણ મળશે.

યોજના માટે પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા અગાઉથી નક્કી કરેલી છે, જે નીચે આપેલી છે.

  • લાભાર્થી કાથી તથા Coir ના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ.  
  • આ યોજના માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી પોતે લોન મેળવવા સક્ષમ હોવા જોઈએ.

યોજનાનાં હેઠળ મળવાપાત્ર લાભ

Coir Udyami Yojana in Gujarati હેઠળ કાથી બનાવતા કારીગરોને લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ શું શું લાભ આપવામાં આવે છે, તેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • આ કાથીના કારીગરોને આ યોજનામાં વ્યાપારીઓને પોતાનો વ્યાપાર વધારવા માટે લોન અને સબસિડી બન્નેને મળશે.
  •   વ્યાપારી આ યોજનાથી મળનારા લોનથી કાથીની ગુણવત્તાને સુધારી શકશે.
  • આ યોજના થી નાના ઉદ્યમીને ભારત સરકાર વ્યાપાર કરવાં માટે મદદ કરશે.
  • જ્યારે વ્યાપારી આ યોજનાથી વ્યાપારની શરુઆત કરશે ત્યારે વ્યાપારીએ 5%  કરવાની રહેશે.
  • વ્યાપારની લાગતનાં 40% વ્યાપારીઓને સબસિડી મળશે.

ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા

આ યોજના માટે અરજદાર ઓનલાઈન અરજી કરી શકે છે. જેના માટે કેટલાક સ્ટેપ આપેલા છે.

  • સૌપ્રથમ લાભાર્થી દ્વારા Google Search ખોલવાનું રહેશે.
  • ત્યારબાદ તેમાં Coir Service નામનો Key Word ટાઈપ કરવાનો રહેશે.
  • લાભાર્થી દ્વારા તેની અધિકૃત વેબસાઈટ શોધવાની રહેશે.
  • અરજદારશ્રી દ્વારા https://www.coirservices.gov.in/frm_login.aspx વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આ વેબસાઈટ આ યોજના માટે આપેલી લિંક પર જવાનું રહેશે.
  • હવે અરજદારશ્રી દ્વારા જે ઓનલાઈન ફોર્મ આપવામાં આવ્યું હશે, તેમાં તેની માહિતી ભરવાની રહેશે.
  • લાભાર્થીના ધંધાની વિગતો દાખલ કરવાની રહેશે.
  • ત્યારબાદ તમામ માહિતી ભર્યા બાદ “સબમીટ” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન ભરેલ ફોર્મથી અરજી નંબર આવશે.
  • છેલ્લે, આ અરજી નંબરને ધ્યાને રાખીને તેમને એક પ્રિંટ કાઢવાની રહેશે.
  • આ સિવાય ઓનલાઈન અરજી વખતે કોઈ સમસ્યા કે મદદની જરૂર હોય તો તેની ઓફિશિયલ વેબસાઈટ પર આપેલા ઈમેઈલ કે Contact પેજમાં સંપર્ક કરી શકાશે.

FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો

Q 1 કાથી ઉદ્યમી યોજના શું છે?

Ans: આ કાથી ફાઈબરનો વ્યાપાર છે, જેના માટે સરકાર આ યોજના થકી સબસિડી આપે છે.

Q 2  Coir Udyami Yojana નો ઉદેશ્ય શું છે?

Ans:  કાથીના વ્યાપાર માટે સબસિડીની સહાય આપવાનો હેતુ આ યોજનામાં રહેલો છે.

Q 3 આ યોજના હેઠળ કાથીનાં કારીગરોને શું લાભ થશે ?

Ans: વ્યાપારીઓને પોતાનો વ્યાપાર વધારવા માટે લોન અને સબસિડી બન્ને મળશે.

Leave a Comment