Morbi District GK One-Liner Questions:મોરબી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Morbi District GK One-Liner Questions|મોરબી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Morbi District GK One-Liner Questions: અહીં મોરબી જિલ્લા સંબધિત જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

મોરબી જિલ્લાની રચના ક્યારે થઈ ?

જવાબ:15 ઓગસ્ટ 2013માં

મોરબી જિલ્લાની રચના કયા-કયા જિલ્લામાંથી કરવામાં આવી છે ?

જવાબ:જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર

મણીમંદિર કોણે બંધાવ્યું હતું ?

જવાબ:વાઘજી ઠાકોરે (તેમની પત્નીની યાદમાં)

વાઘ મંદિરથી જાણીતું મણીમંદિર કયા આવેલું છે ?

જવાબ:મોરબી શહેરમાં

મોરબી કઈ નદીના કિનારે આવેલું છે ?

જવાબ:મચ્છુ

મોરબી જિલ્લાની પશ્ચિમમાં શું આવેલું છે ?

જવાબ:જામનગર જિલ્લો અને અરબ સાગર

મોરબી જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ?

જવાબ: રાજકોટ જિલ્લાની

મોરબી જિલ્લાની પૂર્વમાં કયા જિલ્લની સરહદ આવેલી છે ?

જવાબ: સુરેન્દ્રનગર જિલ્લાની

મોરબી જિલ્લાની ઉત્તરે કયા જિલ્લાની સરહદ આવેલી છે ?

જવાબ:કચ્છ જિલ્લો

મોરબી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ?

જવાબ:પાંચ (મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા-મિયાણા, હળવદ)

વાંકાનેર કઈ નદીના કિનારે વસેલું છે ?

જવાબ:મચ્છુ

મોરબી જિલ્લામાં આવેલું એકમાત્ર અભયારણ્ય ?

જવાબ: રામપરા અભયારણ્ય (તાલુકો વાંકાનેર)

મોરબી જિલ્લામાં કયું બંદર આવેલું છે ?

જવાબ:નવલખી

આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ કઈ છે ?

જવાબ:ટંકારા (મોરબી જિલ્લો)

ચિનાઈ માટીના વાસણો બનાવાતી “પરશુરામ પોટરી” ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલી છે ?

જવાબ: મોરબી જિલ્લામાં

મેંગલોરી નલિળાની બનાવટ માટે જાણીતો જિલ્લો કયો છે ?

જવાબ: મોરબી

ઘડિયાળ બનાવતી કઈ પ્રસિદ્ધ કંપની મોરબીમાં કાર્યરત છે ?

જવાબ:અજંતા અને ઓરપેટ

મોરબી કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?

જવાબ:સિરામિક અને ઘડિયાળ બનાવટના

મોરબી જિલ્લામાં અમર પેલેસ કયા આવેલો છે ?

જવાબ:વાંકાનેર