મોદીએ PM વિશ્વકર્મા યોજના 2023:13 હજાર કરોડનું ફંડ, 18 પરંપરાગત બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે

મોદીએ PM વિશ્વકર્મા યોજના 2023:13 હજાર કરોડનું ફંડ, 18 પરંપરાગત બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે

આજે (17 સપ્ટેમ્બર) વિશ્વકર્મા જયંતિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરી છે. 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આ યોજનાનો લાભ મળશે. આ માટે 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ (ફંડ) ફાળવવામાં આવશે.

વિશ્વકર્મા યોજનાના લોન્ચિંગ પ્રસંગે દેશના 70 પસંદગીના સ્થળો પર 70 મંત્રીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ માટે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, રાજનાથ સિંહ લખનઉમાં, મહેન્દ્ર નાથ પાંડે વારાણસીમાં, સ્મૃતિ ઈરાની ઝાંસીમાં, ગજેન્દ્ર સિંહ શેખાવત ચેન્નાઈમાં, ભૂપેન્દ્ર યાદવ જયપુરમાં, નરેન્દ્ર સિંહ તોમર ભોપાલમાં, એસ જયશંકર તિરુવનંતપુરમમાં હાજર રહ્યા હતા. જ્યારે, નીતિન ગડકરી નાગપુરમાં, અશ્વિની વૈષ્ણવ ભુવનેશ્વરમાં અને અનુરાગ ઠાકુર શિમલામાં હાજર રહ્યા હતા.

આ 18 બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે

  1. સુથાર
  2. હોડી ચલાવનાર
  3. ઓજાર બનાવનાર
  4. લુહાર
  5. તાળા વનાવનાર (રિપેરિંગ કરનાર)
  6. હથોડી અને ટૂલકીટ નિર્માતા
  7. સોની
  8. કુંભાર
  9. શિલ્પકાર- મૂર્તિ બનાવનાર
  10. મોચી
  11. મિસ્ત્રી
  12. ટોપલી, સાદડી, સાવરણી બનાવનારા
  13. પરંપરાગત ઢીંગલી અને રમકડા ઉત્પાદકો
  14. વાળંદ
  15. માળી
  16. ધોબી
  17. દરજી
  18. માછલીની જાળ બનાવનાર

એક લાખની લોન 5% વ્યાજ પર મળશે

નાણાકીય વર્ષ 2023-24 થી 2027-28 સુધી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પર 13,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના હેઠળ દેશભરના લગભગ 30 લાખ પરંપરાગત કારીગરોને લાભ થશે. યોજનાના પ્રથમ તબક્કામાં કામદારોને 5% વ્યાજ દરે 1 લાખ રૂપિયાની લોન મળશે. તેમજ આગામી તબક્કામાં આ રકમ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવશે. યોજના હેઠળ કારીગરો અને શિલ્પકારોને ​​​​​​​તાલીમ પણ​​​​​​​ મળશે.

PMએ સ્વતંત્રતા દિવસનો ઉલ્લેખ કર્યો હતો

વિશ્વકર્મા યોજના 2023

વિશ્વકર્મા યોજના 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરી હતી. નાના કારીગરો અને કુશળ લોકોને આર્થિક મદદ માટે સરકારે PM વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ત્રણ મંત્રાલયો, MSME, કૌશલ્ય વિકાસ અને નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે લાગુ કરવામાં આવશે.

આજથી આયુષ્માન ભવ: અભિયાન શરૂ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 17 સપ્ટેમ્બરથી ‘આયુષ્માન ભવ’ અભિયાન શરૂ કરવાની વાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, દેશભરના 1 લાખ 17 હજારથી વધુ આરોગ્ય કેન્દ્રો પર લોકોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવશે. આ અભિયાન 15 દિવસ સુધી ચાલશે.

માંડવિયાના જણાવ્યા અનુસાર, ‘આયુષ્માન ભવ’ અભિયાન હેઠળ, તમામ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો પર આયુષ્માન મેળાનું આયોજન કરવામાં આવશે. આયુષ્માન મેળામાં તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ બ્લોક લેવલની હોસ્પિટલોમાં મેડિકલ કોલેજ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ પખવાડિયા દરમિયાન દેશભરના તમામ આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.

આ વખતે 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. લોકો પાસેથી આશીર્વાદ માગતા PMએ કહ્યું કે, ‘જ્યારે 2047માં દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે આપણા દેશનો ત્રંગો વિશ્વમાં વિકસિત દેશની ઓળખ સાથે ફરકવો જોઈએ. આ માટે તેણે આવનારા 5 વર્ષને મહત્વપૂર્ણ ગણાવ્યા અને દાવો કર્યો કે તેઓ 2024માં લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- આવતા વર્ષે મોદી તેમના ઘરે ધ્વજ ફરકાવશે. આજે પણ તેઓ અભિમાન બતાવી રહ્યા છે, તો તેઓ દેશનું નિર્માણ કેવી રીતે કરશે?

Leave a Comment