માનવ ગરિમા યોજનામાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી
માનવ ગરિમા યોજનામાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી you are searching for Manav Garima Yojana selected list? શું તમે માનવ ગરિમા યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી જોવા માંગો છો? આ યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે. હવે અમે તમને માનવ ગરિમા યોજના સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો.
માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી. માનવ ગરિમા યોજનાનો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 : માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 | ગુજરાત સરકારે માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022, માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022 esamajkalyan.gujarat.gov.in પર જાહેર કરીછે.
માનવ ગરિમા યોજના એ સમાજના લોકોને ધંધા-રોજગારના સાધનો માટે આર્થિક સહાય આપે છે. જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચાલવામાં આવે છે. સમાજના આર્થિક રીતે પછાત વર્ગોના નાગરિકોને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે આ યોજના થકી સાધન સહાય આપવામાં આવે છે.
માનવ ગરિમા યોજના ૨૦૨૨ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન સહાયની ટૂલ કીટ આપવામાં આવે છે.
Table of Manav Garima Yojana | માનવ ગરિમા યોજના
યોજનાનું નામ | માનવ ગરિમા યોજના 2022 |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | માનવ ગરિમા યોજના અરજી ઓનલાઈન કરવાની રહેશે |
લાભાર્થીની પાત્રતા | વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ઑનલાઇન છેલ્લી તારીખ: 30/06/2022 |
શું લાભ મળશે? | કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે |
સત્તાવાર વેબસાઈટ | Click Here |
Home Page | Click Here |
માનવ ગરિમા યોજના લાભાર્થી યાદી 2022
ગુજરાતના રાજ્યની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ઉપરોક્ત જ્ઞાતિ ઉદ્યોગસાહસિકતા, પૂરતી આવક અને સ્વ-રોજગાર પેદા કરવા માટે વ્યક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર સામાજિક રીતે પછાત વર્ગોને વધારાના સાધનો / સાધનો પણ આપવા જઈ રહી છે જેથી તેઓ તેમના સ્થાનિક વ્યવસાયને આગળ ધપાવી શકે.
Agenda of Manav Garima Yojana | માનવ ગરિમા યોજના હેતુ
ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નવો ધંધો કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.
Manav Garima Yojana હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમા પુર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરીમા યોજના અમલમાં આવેલ છે.
માનવ ગરિમા યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી કેવી રીતે જોવી?
માનવ ગરિમા યોજના માટે ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા અરજદારોઓએ એપ્લિકેશન કરેલી હતી. જિલ્લાની કચેરીઓ દ્વારા આવી અરજીઓની ખરાઈ કર્યા બાદ કોમ્પ્યુટર રાઈઝ ડ્રો કરેલો હતો. જેમાં પસંદ થયેલા નામોની યાદી e-Samaj Kalyan Portal પર જાહેર કરેલી છે. આ યાદી કેવી રીતે જોવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં ”e Samaj Kalyan” ટાઈપ કરો.
- સર્ચ પરિણામમાં “સમાજ કલ્યાણ વિભાગ”ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
- આ અધિકૃત વેબસાઈટ Home Page પર “News/Notification Information પર જવાનું રહેશે.
- હવે તમને જુદા-જુદા જાહેરાત અને નોટીફિકેશન દેખાશે.
- જેમાં ”નિયામક વિકસતી જાતિ કલ્યાણના સમાચાર જોવા મળશે કે, “માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી દેખાશે.
- તેની સામે આપેલી “Attachments” પર ક્લિક કરો. જેમાં એક PDF ફાઈલ Download થશે.
- આમ છેલ્લે, આ PDF ફાઈલ Download કરીને તમારું નામ ચેક કરી શકો છો.
Manav Garima Yojana હેઠળ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે?
● કડીયાકામ
● સેન્ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
● મોબાઇલ રીપેરીંગ
● પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
● હેર કટીંગ (વાળંદ કામ)
● રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
Eligibility Criteria for Manav Garima Yojana
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ
- અરજદાર sc/st/obc કેટેગરીના સભ્ય હોવા જોઈએ
- અરજદાર ગરીબી રેખાની (BPL) નીચેની શ્રેણીનો હોવો જોઈએ
- અરજદારોની વાર્ષિક કૌટુંબિક આવક આના કરતા ઓછી હોવી જોઈએ-
- રૂ. 1,20,000/- ગ્રામીણ માટે, રૂ. 1,50,000/- શહેરી માટે
Document Required For Gujarat Manav Garima Yojana
માનવ ગરિમા યોજના લાભ લેવા માટે અરજદારોને Online Form ભરવાનું હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.
- લાભાર્થીનું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
- અરજદારની જાતિનો દાખલો
- લાભાર્થીનો વાર્ષિક આવકનો દાખલો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- સ્વ-ઘોષણાપત્ર
- બાંહેધરી પત્રક
- અરજદારના ફોટો
માનવ ગરિમા યોજના મહત્વની તારીખો:
- માનવ ગરિમા યોજના 2022 સૂચના તારીખ 15 જૂન 2022
- માનવ ગરિમા યોજના 2022 ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ 16 જૂન 2022
- માનવ ગરિમા યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2022
Important Links Of Manav Kalyan Yojana
Object | Links |
E Samaj Kalyan Official Portal | Click Here |
New User? Please Register Here! | Click Here |
Citizen Login | Click Here |
સ્વ ઘોષણા (Self-Declaration)નો નમૂનો | Download |
Home Page | Click Here |
Manav Garima Yojana Online Registration Process | માનવ ગરિમા યોજના માટે ઓનલાઇન અરજી કરો
- સૌથી પહેલા માનવ ગરીમા યોજના ની અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ (Social justice and empowerment department) પર જાઓ તે નીચે મુજબ લિંક આપેલી છે. https://sje.gujarat.gov.in/
- ત્યારબાદ નીચે આપેલી લિંક પર ક્લિક કરો અથવા ત્યાં આપેલા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન. https://sje.gujarat.gov.in/ddcw/
- રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા બાદ ત્યારબાદ તમારા પરિવાર હોમ પેજ ઉપર આવીને login page પર ક્લિક કરો જ્યારે તમે રજિસ્ટ્રેશન વખતે જે માહિતી આપી હોય તે માહિતી login page માં ફેલ કરીને લોગીન કરો.
- લોગીન થયા બાદ તમારે જ માનવ ગરીમા યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી ફીલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નો લાભ લઇ શકો છો.
Procedure to login on SJED portal
- પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
- તમારી સામે હોમ પેજ ખુલશે
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો
Gujarat Manav Garima Yojana Application Form
માનવ ગરીમા યોજના નું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો તમે માનવ ગરીમા યોજના નું એપ્લીકેશન ફોર્મ પીડીએફ ના સ્વરૂપ માં ડાઉનલોડ કરી શકો છો.
Manav Garima Yojana Helpline Number
માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબર મળી જશે.
FAQ’s Of Manav Garima Yojana
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને માનવ ગરિમા યોજનામાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.