VNSGU Recruitment: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક, છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023

VNSGU Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક તથા પટાવાળા માટે નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
નોકરીનું સ્થળસુરત, ગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ05 ઓગસ્ટ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ05 ઓગસ્ટ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://vnsgu.ac.in/

મહત્વની તારીખ:

Table of Contents

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઘ્વારા 05 ઓગસ્ટ ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ક્લાર્ક તથા પટાવાળાની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા:

VNSGUની આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

પસંદગી પ્રક્રિયા:

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં પટાવાળાના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે જયારે ક્લાર્ક ના પદ પર ઉમેદવારની પસંદગી નિયત તારીખે પરીક્ષા અથવા કોમ્પ્યુટર ટેસ્ટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

લાયકાત:

મિત્રો, VNSGUની આ ભરતીમાં પટાવાળાના પદ પર અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ જયારે ક્લાર્કના પદ પર અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પગારધોરણ

VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટ સમયે જણાવવામાં આવી શકે છે.

વયમર્યાદા:

VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

અરજી ફી:

VNSGUની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી એટલે કે તમામ ઉમેદવારો માટે અરજી ફી 0 રૂપિયા છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી (ક્લાર્કના પદ માટે)
  • અનુભવનું સર્ટિફિકેટે (જો હોય તો)
  • આધારકાર્ડ / પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જાતિનો દાખલો
  • એમ્પ્લોયમેન્ટ રજીસ્ટ્રેશન કાર્ડ
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ http://rms.vnsgu.net/ અથવા https://www.vnsgu.ac.in/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment