કન્જેક્ટિવાઈટિસ: આંખ આવવાથી બચવાના ઉપાયો
કન્જેક્ટિવાઈટિસ: હાલમાં શહેરોમાં જોવા મળતા વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. એડીનો ચેપના કરને કેસો વધી રહ્યા છે. આ વાઇરસના ચેપના કારણે કેસો વધી રહ્યા છે.
- આંખ આવવાના કેસોમાં સતત વધારો.
- ડોક્ટરની તાત્કાલિક સલાહ સુચનો લ્યો.
કન્જેક્ટિવાઈટિસ
આ વાયરસને સામાન્ય રીતે આંખ આવવી કહેવામાં આવે છે. શહેરોમાં આ વાયરસનો સતત વધારો જોવા મળે છે. આંખોમાં જોવા મળતો આ વાઇરસથી ગભરાવાની જરૂર નથી પણ, વધુ ફેલાય નહીં તે માટે નજીકના આરોગ્ય કેન્દ્ર માંથી યોગ્ય સારવાર મેળવો અને જરૂરી સાવચેતી રાખવી. દિવસેને દિવસે ટૂંકા સમયમાં જ આ રોગ લોકોમાં પ્રસરી રહ્યો છે. સાથે જ આંખ આવવાના કેસમાં દર્દીઓ દ્વારા માન્યતા પ્રમાણે ઘરગથ્થુ ઈલાજ કરવામાં આવે છે, જે યોગ્ય નથી, નિષ્ણાંત તબીબ પાસેથી રોગની સારવાર મેળવવી યોગ્ય હોય છે.
કન્જેક્ટિવાઈટિસ/કન્જકટીવાઈટીસના લક્ષણો
- આંખો લાલ થવી.
- આંખમાં ખંજવાળ આવવી.
- આંખમાંથી સતત પાણી પડવું.
- આંખમાં દુઃખાવો થવો.
- આંખના પોપચાં ચોંટી જવા.
- ઘણી વખત આંખમાંથી પરૂ પણ નીકળી શકે.
કન્જકટીવાઈટીસ થવાના કારણો
વાયરલ અને બેક્ટેરીયલ કંઝક્ટિવાઈટિસ
- છીંક / ખાંસી ખાતા ચેપ લાગે
- સીધા સંપર્ક દ્વારા
એલર્જીથી થતો કંઝક્ટિવાઈટિસ
- પાલતુ પ્રાણીના ખોડાથી
- ધૂળ-રજકણ કચરાથી
- ફૂલ-ફળ પરાગરાજથી
કન્જકટીવાઈટીસથી બચવા શું કરવું
- સંક્રમિત વ્યક્તિએ ચશ્માં પહેરવા
- આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું.
- ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો.
- સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા.
- ચેપી બાળકથી કાળજી લેનાર વાલીએ વારંવાર હાથ ધોવા.
- તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી.
કન્જકટીવાઈટીસથી બચવા શું ન કરવું
- હાથ આંખને અડાડવો નહી કે આંખ ચોળવી નહી.
- સક્રમિત વ્યક્તિ સાથે હસ્તધનન ટાળવું તેમજ તેને અડેલી વસ્તુને અડવું નહી.
- સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો.
- જાતે એન્ટીબાયોટીક કે સ્ટિરોઈડના ટીપા આંખમાં નાખવા નહી.
- સંક્રમિત બાળકો સાથે બીજા બાળકો રમવાનું ટાળવું.
- ડોક્ટરની સલાહ લ્યો.
નોંધ: આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા મારફતે મળેલ છે તેથી જો તમને આપેલ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે આંખની તપાસ કરાવીને સર્વર કરાવો.